ન્યાય યાત્રા પહેલા કોંગ્રેસના નેતાઓ પક્ષને છોડી તેવી શક્યતાઓ : ભાજપના ભરતી મેળા માં જોડાઈ શકે છે નેતા અમરીશ ડેર
- 04 Mar, 2024
લોકસભાની ચૂંટણી પહેલા દેશમાં પક્ષ પલટાની મોસમ વચ્ચે મહત્વના સમાચાર મળી રહ્યા છે,કોંગ્રેસના રાજુલા બેઠક પરથી ધારાસભ્ય બનેલા દિગ્ગજ નેતા અમરીશ ડેર પણ ભાજપમાં જોડાવાની હિલચાલ ચાલી રહી છે, જે માટે તેમણે ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆરપાટિલ સાથે મુલાકાત કરી હતી.આ મુલાકાત પછી તેઓ વિધિવત રીતે ભાજપમાં કેસરિયો કરી શકે છે. ઉલ્લેખનીય છેકે ડેર છેલ્લા કેટલાક સમયથી કોગ્રેસથી નારાજ ચાલી રહ્યા હતા.
અમરીશ ડેર કોંગ્રેસના દિગ્ગજ નેતા છે. તેઓ વર્ષ 2017માં રાજુલા બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા, તેમણે હીરા સોલંકીને હરાવ્યા હતા. હીરા સોલંકીને હરાવીને ધારાસભ્ય બન્યા હતા. તો બીજી તરફ વર્ષ 2022ની ચૂંટણીમાં અમરીશ ડેરનો હિરા સોલંકી સામે પરાજય થયો હતો.
આ સપ્તાહમાં કમલમ ખાતે સીઆરપાટિલની આગેવાનીમાં ભાજપમાં જોડાશે. આ પહેલા પણ ગુજરાત કોંગ્રેસમાંથી સંખ્યાબંધ નેતાઓએ પક્ષને રામ રામ કરીને કેસરીયો ધારણ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ મહિનામાં જ રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાતમાં આવવાની છે, જો ન્યાય યાત્રા પહેલા કોંગ્રેસના આ દિગ્ગજ નેતા પક્ષને છોડીને જશે તો ગુજરાત કોંગ્રસને મોટો ઝટકો લાગે તેવી શક્યતાઓ છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ